ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જાહેર કરવામાં આવશે
આગામી અઠવાડિયા માં અથવા સાત દિવસ અંદર જાહેર કરાશે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ,
News updet અમદાવાદ: ગુજરાતમાં 10 અને 12ની બોર્ડની પરિક્ષાના પરિણામોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હવે પરીક્ષાના પરિણામ અંગે મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે. વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જેથી આ સપ્તાહની અંદર પરિણામો જાહેર કરી દેવાશે. ધોરણ 12 સાયન્સનું પરિણામ મહિનાની શરૂઆતમાં આવશે તેવું જાણવા મળ્યું હતું.
✅વાંચવા જેવા અન્ય આર્ટિકલ ગુજરાત
NCERT એ પાઠ્યપુસ્તકમાંથી મુઘલો પરના પ્રકરણો દૂર કર્યા, આ પ્રકરણો સામેલ કરવામાં આવ્યા
સરકારી ઓફિસો સવારે 9.30 વાગ્યે ખૂલી જશે, ગુજરાતના વહીવટી માળખામાં આવશે મોટા બદલાવ
Aadhaar Card : હવે તમારો ચહેરો જ બનશે તમારુ આધાર કાર્ડ, ભારત સરકારે લોન્ચ કરી આધાર એપ
કેટલા વધારે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી?
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 અને ધોરણ 12ના 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10માં 8 લાખ 92 હજાર 882 વિદ્યાર્થીઓએ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 લાખ 23 હજાર 909 વિદ્યાર્થીઓએ અને ધોરણ 12 સાયન્સમાં 1 લાખ 11 હજાર 384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.. ગુજરાતના 16 હજાર 661 કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું.
શું ગત વર્ષ કરતા આ વખતે પરિણામમાં સુધારો આવશે?
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અત્યારે રાહ જોઈ રહ્યાં છે કે, ક્યારે પરિણામ જાહેર કરવામાં આવશે? ગયા વર્ષે બોર્ડનું પરિણામ સારું આવ્યું હતું. પરંતુ આ વખતે કેવું પરિણામ આવે તે જોવાનું રહેશે. ગત વર્ષ કરતા આ વખતે પરિણામમાં સુધારો આવશે કે પછી આંકડા નિરાશાજનક રહેશે? મોટાભાગના વિદ્યાર્થીઓએ તો સારા પરિણામનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરીક્ષા આપ્યાં બાદ પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જેથી પરિણામ સારું આવશે તેવું લાગી રહ્યું છે.
0 Comments